Ukraine Russia Crisis: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાના મિશન ઓપરેશન ગંગા હેઠળ આજે વધુ એક ફ્લાઈટ રોમાનિયાથી દિલ્હી પહોંચી. જેમાં 220 વિદ્યાર્થીઓ સવાર હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પાછા ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. તેમણે તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને એ વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં યુક્રેનમાં ફસાયેલા તેમના સાથીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત આવીને અમને ખુબ ખુશી મળી રહી છે. હજુ પણ અમારા અનેક સાથીઓ ત્યાં ફસાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને જલદી ત્યાંથી કાઢવામાં આવે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube