નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે સુરક્ષાકર્મીઓ સાથે થયેલા ઘર્ષણને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ આમને-સામને છે. કોંગ્રેસના આરોપો બાદ હવે સાત કેન્દ્રીય મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોમાસુ સત્ર દરમિયાન જે રીતે રસ્તાથી લઈને સંસદ સુધી અરાજકતા જોવા મળી છે, વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ. આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, ભુપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યુ કે સંસદ ચાલવા ન દેવાનો નિર્ણય પૂર્વ નિયોજીત હતો. તેમણે કહ્યું કે, જે ક્રમમાં ઘટનાઓ થઈ તેને જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે. વિપક્ષી સભ્યોએ કાચ તોડીને અંદર આપવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે લેખિતમાં ફરિયાદ આપી કે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ટેબલની ઉપર ચઢીને હંગામો કરવામાં આવ્યો હતો. કોઈ બિલ પાસ થયું નહીં, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી છતાં તેઓ માન્યા નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube