હૈદરાબાદ: AIMIM ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના બચાવમાં આવ્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે ગઈકાલની મેચ બાદ સોશિયલ મીડિયા પર શમીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ઓવૈસીએ માંગ કરી છે કે ભાજપ સરકાર તેની ટીકા કરે. રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવૈસીએ એક ટ્વિટ મારફતે જણાવ્યું કે, 'મોહમ્મદ શમીને આવતીકાલની મેચ માટે સોશિયલ મીડિયા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી કટ્ટરતા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ક્રિકેટમાં હંમેશા હાર અને જીત હોય છે. ટીમમાં 11 ખેલાડી છે પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો છે. શું ભાજપ સરકાર તેની નિંદા કરશે?


ભારત 10 વિકેટથી હારી ગયું
રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવ્યું હતું. આ પછી ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. આમાંથી કેટલાક લોકોએ મોહમ્મદ શમીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સહેવાગ સહિત ઘણા ક્રિકેટરો પણ શમીના બચાવમાં આવ્યા છે, પરંતુ આ સમગ્ર મામલાને રાજકીય એંગલ આપતા ઓવૈસીએ મોદી સરકારને તેની ટીકા કરવાની માંગ કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube