નવી દિલ્હી: ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસી અંગે સારા સમાચાર આવ્યા છે. આ રસીનો કોરોનાથી બચાવવામાં સરેરાશ સફળતા દર 70% સુધીનો રહ્યો છે. AstraZeneca એ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. જો કે અલગ અલગ ડોઝ મુજબ સફળતા 62 ટકાથી 90 ટકા વચ્ચે રહી. આ ભારત માટે ખુબ રાહતના સમાચાર છે. કારણ કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ રસીના ઉત્પાદનમાં કાર્યરત છે અને તેનું વિતરણ સરકાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું ઓક્સફોર્ડે નિવેદનમાં?
સોમવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે 'આજે અમે લોકોએ કોવિડ-19 વિરુદ્ધની લડતમાં એક મહત્વનો પડાવ પાર કર્યો છે. વચગાળાનો ડેટા દર્શાવે છે કે ઓક્સફોર્ડ રસી 70.4 ટકા પ્રભાવી છે. બે ડોઝના રેજીમેનમાં જોવા મળ્યું છે કે તે 90 ટકા અસરકારક છે.' 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube