નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)નો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે અને નાપાક ષડયંત્રો રચીને ભારતને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં યુવાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું પ્લાનિંગ કર્યું છે. જેના કારણે પાકિસ્તાની સેનાએ આજે પીઓકેના સ્થાનિક લોકોને નિયંત્રણ રેખા (LoC) સુધી માર્ચ કાઢવાનું કહ્યુ છે. મોટા ષડયંત્રની આશંકાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, નિરૂપમે આપી પાર્ટી છોડવાની ધમકી!


પાકિસ્તાની સેનાના સમર્થનવાળા સ્થાનિક લોકોની માર્ચ અગાઉ ભારતીય સેનાએ કહ્યું કે ઈસ્લામાબાદે નિયંત્રણ રેખાની ગરિમાને દરેક સંજોગોમાં સુનિશ્ચિત કરવી જોઈએ. સૂત્રોએ કહ્યું કે ભારતીય સેના પાકિસ્તાની નેતાઓ દ્વારા નિ:શસ્ત્ર લોકોને ભડકાવવા જેવી ગતિવિધિઓથી માહિતગાર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...