ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત પ્રાપ્ત કરીને ફરીથી સત્તામાં આવનારા વડાપ્રધાન મોદીને ફોન કરીને શુભકામના આપી છે. પાકિસ્તાની વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે લોકોને શુભકામના માટે બંન્ને દેશ મળીને કામ કરશે. જવાબમાં વડાપ્રધાન મોદીએ ઇમરાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધી માટે હિંસામુક્ત અને આતંક મુક્ત વાતાવરણ ખુબ જ જરૂરી છે. ફેબ્રુઆરીમાં પુલવામા આત્મઘાતી હુમલા અને ત્યાર બાદ પાકિસ્તાનનાં બાલકોટ ખાતે જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર ઇન્ડિયન એરફોર્સની સ્ટ્રાઇક બાદ પહેલીવાર બંન્ને દેશોના વડાપ્રધાનમંત્રીઓએ ફોન પર વાત કરી છે. 


જો રાહુલ ગાંધી રાજીનામાની જીદ્દ પકડી રાખશે તો ભાજપની ચાલ સફળ થઇ જશે: પ્રિયંકા

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ નિર્ણયે રવિવારે જણાવ્યું કે, ઇમરાન ખાને વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરીને તેમણે ચૂંટણીમાં જીતની શુભકામના આપી. નિર્ણયે ટ્વીટ કર્યું, વડાપ્રધાન (ઇમરાન)એ આજે વડાપ્રધાન મોદી સાથે વાત કરી અને ભારતનાં લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત પર તેમને શુભકામના આપી. વડાપ્રધાને લોકોએ ભલાઇ માટે બંન્ને દેશો દ્વારા સાથે મળીને કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. 


30 મેના રોજ સાંજે 7 વાગ્યે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
અમેઠીમાં પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રાનાં જોડાયા ઇરાની, અર્થીને કાંધ આપી



વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં ભાર પુર્વક કહ્યું કે, ક્ષેત્રની શઆંતિ, પ્રગતી અને સમૃદ્ધિ માટે આંતરિક ભરોસો પેદા કરવા તથા હિંસા અને આતંકમુક્ત વાતાવરણનું નિર્માણ અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા જૈશ એ મોહમ્મદનાં આત્મઘાતિ હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થયા હતા.આ ઘટના બાદ બંન્ને દેશોના સંબંધો વણસી ગયા હતા. ત્યાર બાદ 26 ફેબ્રુઆરીએ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનનાં બાલકોટ ખાતે જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર સ્ટ્રાઇક કરી તેને તબાહ કરી દીધા. એર સ્ટ્રાઇકમાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓ અને ટ્રેનર ઠાર મરાયા હતા.