નવી દિલ્હી: લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાઈ ગયું છે. આ સાથે જ સંસદમાં કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ પણ હવે દૂર થયો છે અને મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષ સાથે સહમતિ થયા બાદ સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ સાથે જ લોકસભાથી સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે સંસદના ચોમાસુ સત્રમાં મોંઘવારી, જીએસટી જેવા મુદ્દાઓને લઈને ખુબ હંગામો થઈ રહ્યો છે. વિપક્ષ સતત આ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. જુલાઈના અંતમાં સંસદમાં પ્લેકાર્ડ દેખાડવાના પગલે કોંગ્રેસના ચાર સાંસદોને લોકસભાના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા. જે ચાર સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા તેમાં મનિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જોથિમણિ અને રામ્યા હરિદાસ સામેલ હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube