નવી દિલ્હીઃ સંસદનું સત્ર શરૂ થવામાં હવે થોડા દિવસ બાકી છે. કોરોના સંકટને કારણે આ વખતે ઘણા ફેરફારો થયા છે અને પશ્નકાળને હટાવી દેવામાં આવ્યો છે. વિપક્ષ તરફથી આ મુદ્દા પર આક્રમક વિરોધ નોંધાવ્યા બાદ હવે સરકારે ફેરફાર કર્યો છે. હવે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સાંસદ લેખિતમાં સવાલ પૂછી શકશે, જેનો જવાબ લેખિતમાં જ મળશે. પરંતુ વિપક્ષને હજુ આ નિર્ણયથી સંતોષ થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે સંસદ સત્ર સાથે જોડાયેલ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, સાસંદોને તે જણાવવામાં આવે છે કે આ વખતે રાજ્યસભામાં પશ્નકાળ હશે નહીં. તેવામાં બધા સભ્યો પોતાના સવાલ પહેલા આપી શકે છે જેનો લેખિતમાં જવાબ મળશે. 


311માંથી BJPએ જીતી 281 સીટ, ત્રણ દાયકા બાદ મુલાયમ પરિવારનું વર્ચસ્વ સમાપ્ત

પરંતુ ભાજપ તરફથી સતત તેને કોરોના સંકટને કારણે પ્રોટોકોલમાં ફેરફારનું કારણ ગણાવ્યું છે. સાથે સ્પષ્ટતા કરી છે કે સંસદ આ દરમિયાન પોતાના સવાલોને ગૃહમાં પૂછી શકે છે. કોંગ્રેસ સિવાય ટીએમસી, શિવસેના તથા અન્ય પાર્ટીઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube