નવી દિલ્હીઃ Winter Session of Parliament: સંસદના શિયાળુ સત્ર દરમિયાન શુક્રવારે લોકસભામાં ઓક્સીજનની કમી અને કોરોના મુદ્દા પર બોલતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરતા રહ્યા પરંતુ તેને ખાલી કરવાની જગ્યા નહોતી. સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠકમાં વારંવાર કહ્યુ હતુ કે તેમાં છુપાવવાની કોઈ વાત નથી, કોરોનાથી મોત થયા છે તેના ડેટા આપો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, દિલ્હીના રસ્તા પર ટેન્કર ફરતા રહ્યા પરંતુ ખાલી કરવાની જગ્યા નહોતી. માંડવિયાએ કહ્યુ કે, ખુબ રાજનીતિ થઈ ઓક્સીજનના મુદ્દા પર અને મોતના મુદ્દા પર. પ્રધાનમંત્રી સતત તે કહેતા રહ્યા કે મોતનો આંકડો છુપાવવાની જરૂર નથી. કેટલાક રાજ્યોએ જરૂરીયાત કરતા વધુ ઓક્સીજનની માંગ કરી હતી. 


Corona: દક્ષિણ આફ્રિકાથી જયપુર પાછા ફરેલા 4 લોકો કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા 5 લોકો પણ વાયરસ સંક્રમિત


ભાજપના સાંસદોએ કર્યું પ્રદર્શન
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં 'અભદ્ર વર્તન' બદલ સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોએ શુક્રવારે સંસદ પરિસરમાં તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં ધરણા ચાલુ રાખ્યા હતા. બીજી તરફ ભાજપના કેટલાય રાજ્યસભા સભ્યોએ આ સસ્પેન્ડેડ સાંસદોના વર્તન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના રાજ્યસભા સભ્યો છેલ્લા સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં હોબાળો દર્શાવતા પ્લેકાર્ડ લઈને આવ્યા હતા અને તેમાંથી કેટલાકે લખ્યું હતું કે, "લોકશાહી? કે ગુંડાગીરી?"


ભાજપના મહાસચિવ અરૂણ સિંહ, સાંસદ સૈયદ જફર ઇસ્લામ, રાકેશ સિન્હા અને ઘણા અન્ય સાંસદો પ્રદર્શનમાં સામેલ થયા હતા. તો સસ્પેન્ડશન બાદ દરરોજ પ્રદર્શન કરી રહેલા 12 વિપક્ષી સાંસદોએ આજે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા આપ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube