Parliament Winter Session Live Updates: સંસદના શિયાળુ સત્રનો આજે  પાંચમો દિવસ છે અને રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બંને ગૃહોમાં વિપક્ષનો ગતિરોધ ચાલુ છે. ગાંધી પ્રતિમા સામે આજે પણ સસ્પેન્ડેડ સાંસદોના ધરણા ચાલુ છે. તેમના ધરણા વચ્ચે ભાજપના પણ સાંસદો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા. બંને તરફથી નારેબાજી થઈ. 


મનસુખ માંડવિયાનું નિવેદન
ઓક્સિજન શોર્ટેજના કારણે થયેલા મોત અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં કહ્યું કે અમે બધા રાજ્યોને આ અંગે ડેટા આપવા જણાવ્યું હતું. જેમાંથી 19 રાજ્યોએ પ્રતિભાવ આપ્યા. એક માત્ર પંજાબ રાજ્યએ ઓક્સિજનની અછતના કારણે ચાર 'શંકાસ્પદ' મોતની જાણકારી આપી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube