નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે (Jitendra Singh) શુક્રવારે દેશના ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પર કોઈ ચર્ચા ન થાત. નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં બોલતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે "આધુનિક ભારતમાં સૌથી મોટી ભૂલ વિભાજન હતું. ગાંધીજીએ કહ્યું હતું કે જો ભાગલા થશે તો મારી લાશ પર થશે. તેઓ પહેલા સ્વતંત્રતા દિવસના અવસરે નિરાશ હતાં અને બંગાળ જવા માટે રવાના થઈ ગયા હતાં."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી સરકારે વર્ષો જૂનો કાયદો રદ કર્યો, હવે મંત્રીઓનો ટેક્સ સરકાર નહીં ચૂકવે, તેમણે પોતે ભરવો પડશે


પીએમઓ રાજ્યમંત્રીએ કહ્યું કે શું આપણે સમજી ગયા હતાં કે ભાગલા ફક્ત કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે થયા હતાં. એક મોટા વર્ગે ભાગલાનો વિરોધ કર્યો હતો. જો તે વખતે ભાગલા ન  પડ્યા હોત તો આજે જમ્મુ અને કાશ્મીર પર ચર્ચા ન થાત. તેમણે કહ્યું કે ન તો કલમ 370 હોત અને ન તેની નાબુદીનો મુદ્દો. તમે જોઈ શકો છો કે ઈતિહાસમાં એક દુર્ઘટના સાથે આપણે કેટલા આગળ કે પાછળ જતા રહ્યાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...