નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે આજે પંચાયતી રાજ દિવસના અવરસે પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરીને વાતચીત કરી રહ્યાં છે. પંચાયત રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કાર્યક્રમની શરૂઆત કરી. તેમણે સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યક્રમોનું વિવરણ આપ્યું. ત્યારબાદ પીએમ મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ લોન્ચ કર્યાં. પીએમ મોદીએ સ્વામિત્વ યોજના પણ લોન્ચ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પંચાયતી રાજ દિવસની શુભેચ્છાઓ પાઠવીને સંવાદની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આજે  કોરોના સંકટના કારણે આપણે વીડિયો કોન્ફન્સિંગથી કામ કરવું પડે છે. પીએમ મોદીએ પુરસ્કાર વિજેતા સરપંચોને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે કોરોનાએ કામ કરવાની પદ્ધતિ બદલી નાખી છે. તેણે આપણને યાદ અપાવડાવ્યું છે કે આપણે બધાએ આત્મનિર્ભર રહેવું પડશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube