લખનઉ: શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમત આપ્યો છે તો અમારા માટે તો મોદી જ સુપ્રીમ કોર્ટ છે. સંજય રાઉતે અહીં પત્રકારોને સંબોધતા કહ્યું કે, "મંદિર નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે. આ કોઈ ક્રેડિટ લેવાની લડાઈ નથી. દેશે મોદીજીની પસંદગી કરી છે, અમે તેમની વાત સાંભળીશું. તેઓ જ અમારા માટે સુપ્રીમ કોર્ટ છે." તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈને રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...