નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ સંયોજક અરવિંદ કેજરીવાલને સીએમ પદના શપથ લેવા પર શુભેચ્છા આપી, ત્યારબાદ જવાબ આપતા કેજરીવાલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે તે પણ કહ્યું કે, તમે આ સમયે હાજર રહ્યાં હોત. તમને જણાવી દઈએ કે કેજરીવાલે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'હું આજે દિલ્હીના સીએમ પદની શપથ લેવા માટે અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપુ છું. હું તેમના ફળદાયી કાર્યકાળની પ્રાર્થના કરુ છું.' તેના પર કેજરીવાલે આભાર વ્યક્ત કરતા રીટ્વીટ કર્યું, 'તમારી શુભકામનાઓ માટે આભાર. કાશ! તમે આવી જાત, પરંતુ હું સમજુ છું કે તમે વ્યસ્ત હતા. આપણે બધા ભારતીયો માટે દિલ્હીને ગર્વનું શહેર બનાવવા માટે સાથે કામ કરવું પડશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...