બીડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370ની જોગવાઇને દૂર કરવાના વિરોધ કરનારાના નિવેદનો ઇતિહાસમાં નોંધાશે. મોદીએ ગુરૂવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલીમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કાશ્મીરમાં ડર ફેલાવવામાં નિષ્ફળ પાકિસ્તાને બનાવ્યો નવો પ્લાન, મળ્યા ચોંકાવનારા ઇનપુટ


મોદીએ કહ્યું કે મરાઠાવાડથી કોંગ્રેસના ઘણા મુખ્યમંત્રી થયા, પરંતુ પાર્ટીએ હમેશા આ ક્ષેત્રને ઉપેક્ષિત રાખી છે. તેમણે કહ્યું કે, આ એનડીએ છે, જેણે આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે.


કોંગ્રેસનો કટાક્ષ: સાવરકરને જ ભારત રત્ન કેમ આપવા ઇચ્છે છે ભાજપ? ગોડસેને કેમ નહીં?


કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જે લોકો હતાશ અને નકારવામાં આવ્યા છે તે લોકોનું ભલું કેવી રીતે કરી શકે. વડાપ્રધાને કહ્યું, 'જાહેર નાણાં લૂંટનારાઓને જેલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 21 ઓક્ટોબરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયના તમામ રેકોર્ડ તોડશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...