કોલ્લમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સબરીમાલા મુદ્દે કેરળની માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફ સરકાર પર મંગળવારે પ્રહાર કરતા જણાવ્યું કે, 'કમ્યુનિસ્ટો ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને આધ્યાત્મિક્તાનું સન્માન કરતા નથી. આ મુદ્દે કેરળની એલડીએફ સરકરાનું વલણ શરમજનક રહ્યું છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાને એલડીએફ સરકાર અને રાજ્યમાં યુડીએફની આગેવાનીવાળા વિરોધ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, બંને મોરચા એક સિક્કાની બે બાજુ છે. તેમણે બંને મોરચા પર રાજ્યના લોકોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. 


આ કર્મચારીઓ માટે લાગુ થયું 7મું પગારપંચ, એરિયર્સનો પણ મળશે લાભ


વડા પ્રધાને એક જાહેરસભામાં જણાવ્યું કે, 'અમે જાણીએ છીએ કે, કમ્યુનિસ્ટ ભારતની સંસ્કૃતિ, ઈતિહાસ અને આધ્યાત્મિક્તાનું સન્માન કરતા નથી.' તેમણે જણાવ્યું કે, સબરીમાલા મુદ્દે કોંગ્રેસના પણ જુદા-જુદા વલણ છે. તેમણે જણાવ્યું કે, 'કોંગ્રેસ સસંદમાં કંઈક ઓર બોલે છે અને પતનમથિટ્ટા (જ્યાં અયપ્પાનું મંદીર છે) માં કંઈક જુદું જ બોલે છે.'


17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ


બાયપાસને રાષ્ટ્રને સમર્પિત કરતા મોદીએ જણાવ્યું કે, 2014માં તેઓ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે માત્ર 56 ટકા ગ્રામીણ વસતી દેશની સડકો સાથે જોડાયેલી હતી. તેમણે જણાવ્યું કે, 'અષ્ટમુડી તળાવના કિનારે પુરમાંથી બહાર નિકળવાનો અનુભવ થઈ રહ્યો છે. હું તમને સૌને બાયપાસ પુરો થવાના અભિનંદન પાઠવું છું.'


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...