નવી દિલ્હી: કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીથી એકવાર દેશને સંબોધન કરશે. પીએમ મોદી આજે રાતે 8 વાગે દેશને સંબોધશે અને સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લેવાઈ રહેલા પગલાં વિશે જણાવશે.સવાલ એ છે કે પીએમ મોદી લોકડાઉન વધારવાની જાહેરાત કરશે કે પછી લોકડાઉન હટાવવાની. કે પછી કેટલીક વધુ ઢીલ સાથે લોકડાઉન આગળ વધારશે. આ સવાલોના જવાબ જો કે આજે રાતે 8 વાગે પીએમ મોદીના સંબોધનમાં મળી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: દેશમાં કોરોનાના કેસ 70 હજારને પાર, એક જ દિવસમાં આટલા નવા કેસ 


કોરોના વિરુદ્ધની લડતમાં પીએમ મોદી ચારવાર રાષ્ટ્રને સંબોધન કરી ચૂક્યા છે. આજે પાંચમીવાર દેશને સંબોધશે. પહેલીવાર 19 માર્ચના રોજ જનતા કરફ્યૂનું આહ્વાન કર્યું હતું. બીજા સંબોધનમાં તેમણે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. 3 એપ્રિલના રોજ ત્રીજા સંબોધનમાં તેમણે કોરોના વિરુદ્ધ 9 મિનિટ સુધી પ્રકાશપર્વ ઉજવવાની અપીલ કરી હતી. 14 એપ્રિલના રોજ તેમણે પોતાના ચોથા સંબોધનમાં 24 મિનિટના ભાષણમાં લોકડાઉનને 3 મે સુધી આગળ વધાર્યું હતું. આજે રાતે હવે 8 વાગે પાંચમીવાર પીએમ મોદી દેશને સંબોધશે. ત્યારે જોવાનું રહેશે કે શું જાહેરાત કરશે?


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube