નવી દિલ્હીઃ New Parliament Building Inauguration: પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી 28 મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલય પ્રમાણે સ્પીકર ઓમ બિરલાએ ગુરૂવાર (18 મે) એ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે. નિવેદન પ્રમાણે, નવી સંસદ ભગનનું કામ પૂરુ થઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદી એવા સમયે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે, જ્યારે તેમના કાર્યકાળના 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં નવી સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટનો એક ભાગ છે, જે રાષ્ટ્રનું પાવરહાઉસ છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ, વડા પ્રધાનની નવી ઓફિસ અને નિવાસસ્થાન અને નવા ઉપરાષ્ટ્રપતિનું એન્ક્લેવ પણ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટનો એક ભાગ છે. 


સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, 20 મેએ CM પદ માટે લેશે શપથ


લોકસભામાં બેસી શકશે 888 સભ્ય
સંસદના વર્તમાન ભવનમાં લોકસભામાં 550 જ્યારે રાજ્યસભામાં 250 માનનીય સભ્યોને બેસવાની વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા સંસદના નવનિર્મિત ભવનમાં લોકસભામાં 888 જ્યારે રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભામાં થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube