નવી દિલ્હીઃ વડા પ્રદાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત બિનઅનામત વર્ગ માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે. સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ આમ જનતાના સામાજિક આર્થિક જીવન પર અસર નાખતા અનેક મોટા નિર્ણય લીધા છે. પીએમ મોદીના આ આકરા નિર્ણયો એવા સમયે લીધા જેના કારણે ભાજપને નુકસાન થઈ શકે એમ હતું, પરંતુ તેમણે રાજકીય ફાયદાને નજરઅંદાજ કરીને આ નિર્ણય લીધા હતા. જૂઓ નરેન્દ્ર મોદીના પાંચ મોટા નિર્ણય, જેના કારમે રાજકારણની દિશા બદલાઈ ગઈ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક આધારે સવર્ણોને 10 ટકા અનામત 
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની કેબિનેટે આર્થિક રીતે પછા તમામ ધર્મના સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયને મંજૂરી મળ્યા બાદ મંગળવાર(8 જાન્યુઆરી)ના રોજ આ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરાશે. એવું કહેવાય છે કે, સવર્ણોને આપવાની આ અનામતના નિર્ણય માટે કેન્દ્ર સરકાર બંધારણમાં સંશોધન ખરડો લાવશે. અનામતને બંધારણિય માન્યતા આપવા માટે બંધારણની ધારા 15-16માં ફેરફાર કરવાનો રહેશે. બિનઅમાનત વર્ગને 10 ટકા અનામત માટે ઓછામાં ઓછી 8 લાખની વાર્ષિક આવકની મર્યાદા, 1000 ચોરસફૂટ સુધીનું ઘર અને 5 હેક્ટરથી ઓછી ખેતિની જમીન ધરાવતા સવર્ણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. 


મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારી નોકરીઓમાં સવર્ણોને મળશે અનામતનો લાભ


સવર્ણ અનામત : 1000 ચોરસ ફુટથી નાનું ઘર હશે તો જ મળશે અનામતનો લાભ, જાણો 8 મહત્વની વાતો


ભારતના વધુ સમાચાર જાણવા કરો ક્લિક...