નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલા સહિત હાલની ઘટનાઓની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે. ફ્રાન્સના નીસ શહેરમાં ગુરૂવારે એક ચર્ચમાં થયેલા હુમલામાં મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. હુમલાખોરોએ ચાકુથી એક મહિલાનું માથુ કાપી નાખ્યું અને 2 અન્ય લોકોની બર્બરતાથી હત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ, 'હું આજે નીસમાં ચર્ચની અંદર થયેલા ઘાતકી હુમલા સહિત ફ્રાન્સમાં હાલમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરુ છું. પીડિતાના પરિવારજનો અને ફ્રાન્સના લોકોની સાથે અમારી સંવેદના. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે.'


પયગંબર કાર્ટૂન વિવાદઃ ફ્રાન્સના ચર્ચમાં ત્રણ લોકોની નિર્મમ હત્યા, મહિલાનું ગળુ કાપ્યું


બે પોલીસ અધિકારીઓએ નામનો ખુલાસો ન કરતા કહ્યુ કે, માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારની ઘટનાને હુમલાખોરે એકલાએ અંજામ આપી. તેમણે કહ્યું કે, તેથી પોલીસ અન્ય હુમલાખોરને શોધી રહી નથી. નીસના મેયર ક્રિસ્ચિયન એસ્ત્રોસીએ કહ્યું, તે (હુમલાખોર) ઘાયલ થયા બાદ પણ વારંવાર અલ્લાહુ અકબર બોલી રહ્યો હતો.


એસ્ત્રોતીએ બીએફએમ ટેલીવિઝનને જણાવ્યુ કે હુમલામાં બે લોકોના મોત થયા છે, બેની ગિરિજાધરમાં જ્યારે એક ઈજાગ્રસ્ત ત્રીજા વ્યક્તિએ ત્યાંથી ભાગવા દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ ઘટના તેવા સમયે થઈ છે જ્યારે ફ્રાન્સમાં આતંકવાદી હુમલાને લઈને પહેલા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube