નવી દિલ્હી: શનિવાર સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠક સાંજે 4.30 કલાકે બોલાવી હતી. સામાન્ય રીતે આવી બેઠક બુધવારના દિવસે બોલાવવામાં આવે છે પરંતુ શનિવારના આ બેઠક કોઈ ખાસ ઉદેશ્યથી બોલાવવામાં આવી હતી. આ બેઠક પર સૌ કોઈની નજર હતી. ત્યારે આ બેઠકમાં એક મોટા મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીટિંગમાં લેવાયો આ નિર્ણય
આ કેબિનેટ મીટિંગમાં ગરીબ અન્ન કલ્યાણ યોજનાને આગામી 6 મહિના સુધી વધારવામાં આવી છે. મોદી કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 30 સપ્ટેમ્બર સુધી આ યોજના ચાલુ રહેશે. પહેલા આ યોજના 31 માર્ચના રોજ પૂર્ણ થવાની હતી.


ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો મોટો અકસ્માત, ટ્રેક્ટર સાથે અથડાઈ ફોર્ચ્યુનર


સરકારે કોરોના કાળમાં શરૂ કરી હતી યોજના
તમને જણાવી દઈએ કે, કોરોનાના કારણે લોકડાઉન લગાવ્યા બાદ કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. તેના માટે સરકારે 1.70 કરોડની રમક ફાળવી હતી. આ અન્ન યોજના હેઠળ ગરીબોને મફતમાં વ્યક્તિ દિઠ 5 કિલોના દરથી અનાજ આપવામાં આવતું હતું.


Pakistan: અવિશ્વાસ પ્રસ્તાવથી પહેલા ઇમરાન ખાનને મોટો ઝટકો, 50 મંત્રી થયા ગુમ


લખનઉમાં આખું કેબિનેટ
તમને જણાવી દઈએ કે, લગભગ આખું મંત્રીમંડળ લખનઉમાં હતું કેમ કે ઉત્તર પ્રદેશમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ થવાની હતી. એવામાં ત્યાંથી પરત ફર્યા બાદ તરત જ પીએમ મોદીએ આ બેઠક બોલાવી છે.


MS ધોનીએ એક વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, જાણો કેપ્ટનશીપ છોડવા પાઠળની આખી કહાની


સંસદ સત્ર વચ્ચે આ ચર્ચા
ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે એવામાં કેબિનેટની આ બેઠક અંગે અટકળોનો દોર ચાલુ રહ્યો હતો.


અન્ય સમાચાર અહીં વાંચો:- 


IPL 2022: કઈ ટીમ ઉતારશે 'સર' જાડેજા? જાણો કઈ હોઈ શકે છે CSK-KKRની પ્લેઇન્ગ-11


પરમાણુ યુદ્ધનો વધ્યો ખતરો! રશિયાએ સમુદ્રમાં ઉતારી ન્યુક્લિયર સબમરીન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube