નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ચેન્નાઈ અને પોર્ટ બ્લેરને જોડનારા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ જ ડિસેમ્બર 2018માં પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. 1224 કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ 2300 કિમી લાંબા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ બીછાવવામાં આવ્યાં છે. સરકારી કંપની BSNL દરિયાની અંદર કેબલ બીછાવવાનું કામ પૂરું કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ આંદામાનના લોકો માટે મહત્વનો છે. તેમણે કહ્યું કે "નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા, લગભગ દોઢ વર્ષ પહેલા મને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શુભારંભ કરવાનો અવસર મળ્યો હતો. મને ખુશી છે કે હવે તેનું કામ પૂરું થયું છે અને આજે તેના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે."


વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યું?


પ્રધાનમંત્રીએ કહ્યું કે "હવે ગ્રેટ નિકોબારમાં લગભગ 10 હજાર કરોડના ખર્ચે ટ્રાન્સિપ્મેન્ટ પોર્ટના નિર્માણનો પ્રસ્તાવ છે. કોશિશ છે કે આવનારા 4-5 વર્ષમાં તેના પહેલા ફેઝને બનાવીને તૈયાર કરી લેવામાં આવે. એકવાર જ્યારે આ પોર્ટ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ અહીં મોટા મોટા જહાજ પણ રોકાઈ શકશે."


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube