નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરને એક મોટી ભેટ આપી. હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટની આધારશિલા રખાઈ. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટકાળમાં પણ દેશ અટક્યો નથી. દેશ થોભ્યો નથી અને દેશ થાક્યો નથી. જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે મજબૂતાઈથી લડત લડતા રહેવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે. દોઢ લાખથી વધુ મહિલાઓને મફત સિલિન્ડર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રોજ એક લાખ પાણીના કનેક્શન અપાઈ રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube