નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશવાસીઓને આજે સંબોધન કર્યું. મન કી બાતનો આ 78મો એપિસોડ હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને યાદ કર્યા. તેમે કહ્યું કે જ્યારે ટોકિયો ઓલિમ્પિક્સની વાત થઈ રહી હોય તો મિલ્ખા સિંહજી જેવા લેજન્ડરી એથલેટને કેવી રીતે ભૂલી શકાય. થોડા દિવસ પહેલા જ કોરોનાએ તેમને આપણી પાસેથી છીનવી લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિલ્ખા સિંહને કર્યા યાદ
પીએમ મોદીએ કહ્યું કે મિલ્ખા સિંહજીને મે કહ્યું હતું કે તમે તો 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી આ વખતે જ્યારે આપણા ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે ટોક્યો જઈ રહ્યા છે તો તમારે આપણા એથલેટ્સનું મનોબળ વધારવાનું છે. તેમને તમારા સંદેશથી પ્રેરિત કરવાના છે. તેઓ ખેલને લઈને એટલા સમર્પિત અને ભાવુક હતા કે બીમારીમાં પણ તેઓઓ તેના માટે તરત હા પાડી દીધી પરંતુ દુર્ભાગ્યથી નિયતિને કઈક બીજુ મંજૂર હતું. 


રોડ ટુ ટોકિયો ક્વિઝ પર...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube