નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજનની સમસ્યા પર મોટો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ દેશમાં 551 નવા  ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ઓક્સિજન પ્લાન્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોની અંદર લગાવવામાં આવશે. પીએમ મોદી આ પ્લાન્ટને જેમ બને તેમ જલદી કાર્યરત કરવાના આદેશ આપ્યા છે. આ કાર્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરાશે. 


Coronavirus: લોકોને પ્રાણવાયુ પહોંચાડવા યુદ્ધ સ્તરે વાયુસેના કામ કરી રહી છે, 'ઓક્સિજન એક્સપ્રેસ' પણ મેદાનમાં


Mann ki Baat: ધૈર્ય, કષ્ટ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે કોરોના-PM મોદી


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube