નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) આજે સવારે વિશ્વ યોગ દિવસના અવસરે આયોજિત થનારા એક કાર્યક્રમને સંબોધન કર્યું. આ વખતે યોગ દિવસની થીમ  (Yoga Day 2021 Theme) 'Yoga For Wellness’ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે 21 જૂનના રોજ આપણે સાતમો યોગ દિવસ ઉજવીશું. આ વર્ષની થીમ છે યોગા ફોર વેલનેસ. જે શારીરિક અને માનસિક વેલનેસ માટે યોગાભ્યાસ પર કેન્દ્રિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો
વિશ્વ યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીના સંકટ વચ્ચે યોગ આશાની કિરણ બન્યું છે. કોરોનાકાળમાં ભલે જાહેર કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસને લઈને ઉત્સાહ ઓછો થયો નથી. તેમણે કહ્યું કે જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈ પણ દશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube