નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કર્મચારીઓને જલદી ખુશખબર આપી શકે છે. કર્મચારીઓની નિવૃતિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા પર સરકાર વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ (Universal Pension System) મોકલવામાં આવ્યો છે. તેમાં દેશમાં લોકોના કામ કરવાની ઉંમર મર્યાદા વધારવાની વાત કહેવામાં આવી છે. સાથે પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું કે, દેશમાં નિવૃતિની ઉંમર વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીનિયર સિટીઝનની સુરક્ષા
સમિતિના રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછા 2 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં સીનિયર સિટીઝનની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.


સ્કિલ ડેવલોપમેન્ટ છે જરૂરી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કામકાજની ઉંમરની વસ્તી વધારવી છે તો તે માટે નિવૃતિની ઉંમર વધારવાની સખત જરૂરી છે. સામાજીક સુરક્ષા સિસ્ટમ પર દબાવ ઓછો કરવા માટે આમ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલોપમેન્ટની વાત પણ કહેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ PM મોદીની પ્રશંસા અને પાર્ટી પર સવાલ, કૃષિ કાયદા પર ઉમા ભારતીએ કર્યા ટ્વીટ


સરકારો બનાવે નીતિ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઈએ જેનાથી કૌશલ્ય વિકાસ કરી શકાય. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રો, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, રેફ્યૂજી, પ્રવાસીઓને પણ સામેલ કરવા જોઈએ, જેની પાસે ટ્રેનિંગ હાસિલ કરવાના સાધન નથી, પરંતુ તેનું ટ્રેન્ડ થવું જરૂરી છે.


વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 રિપોર્ટ
તમને જણાવી દઈએ કે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 મુજબ ભારતમાં વર્ષ 2050 સુધીમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્તની શ્રેણીમાં જશે. વર્ષ 2019 માં, ભારતની લગભગ 10 ટકા વસ્તી અથવા 140 મિલિયન લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube