નવી દિલ્હીઃ સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે શુક્રવારે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, Pok અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો જ ભાગ છે. પાકિસ્તાનના આતંકવાદીઓનો તેના પર ગેરકાયદે કબ્જો છે. રાવતે જણાવ્યું કે, આપણે જને જમ્મુ-કાશ્મીર કહીએ છીએ તો તેમાં પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આપણા પશ્ચિમના પડોશી દેશ દ્વારા ગેરકાયદેસરનો કબ્જો કરવામાં આવેલો છે. રાવતે વધુમાં જણાવ્યું કે, "જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે, તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી. અહીંના લોકોને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પીઓકે હકીકતમાં પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત ભાગ છે."


#AssemblyElections2019 : વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 32 લાખ ટ્વીટ્સ કરાઈ


ભારતીય સેનાના વડાએ આગળ જણાવ્યું કે, "સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ભારતની સેના દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે."


દુનિયાના પાંચમા સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વગર મળશે પ્રવેશ


સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે વધુમાં જણાવ્યું કે, હું વિશ્વાસ અપાવું છું કે, દુનિયામાં ઉપલબ્ધ સૌથી સારી રાઈફલ અમેરિકાની સિગ સોયર છે, જે ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતીય સેનાના જવાનો આપી દેવામાં આવશે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન તેનાં લક્ષણો ભુલતું નથી. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...