નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો મંગળવારે છેલ્લો દિવસ રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ અખિલેશ યાદવ સહિત વિપક્ષને નિશાને લીધો હતો. તેમણે રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, રાહુલ ગાંધી વિદેશમાં ભારત વિશે ખરાબ બોલે છે. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની બહાર બીજા રાજ્યોમાં યુપી વિશે આડુઅવળું બોલે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં વધુ અંતર નથી. તેમણે કહ્યું કે અમે કોઈ જાતિ અને ધર્મના આધાર પર વિભાજન કર્યું નથી. 


ભારે હૃદયે પિતાએ મૂસેવાલાને આપી અંતિમ વિદાય, અંતિમ સંસ્કારમાં હજારો લોકો થયા સામેલ


યોગી આદિત્યનાથે ભાજપ નેતૃત્વની કેન્દ્ર સરકારના 8 વર્ષના સફળ કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આ પરિકલ્પનાને સાકાર કરતા આપણે બધા જોઈ રહ્યાં છીએ. આજે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાની ચર્ચા થઈ રહી હતી. વિપક્ષ નેતા કહી રહ્યાં કે આ સમાજવાદ છે. સારૂ છે કે ઓછા સમાજવાદના બહાને તેમણે પ્રધાનમંત્રી મોદીની ગરીબ કલ્યાણકારી યોજનાઓનો સ્વીકાર કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube