નવી દિલ્હી: દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આજે લોધી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ અગાઉ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો હતો. તેઓ કોવિડ-19થી સંક્રમિત હતાં એટલે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે નહતો રાખવામાં આવ્યો. તમામે તેમની તસવીર આગળ જઈને નમન કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. મોદી કેબિનેટ બેઠકમાં પણ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અપાઈ. પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ દર્શન માટે દરેક પાર્ટીના નેતા પહોંચ્યા હતાં. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube