નવી દિલ્હીઃ ભારતની કોયલ લતા મંગેશકરને મળવા રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ઘરે ગયા હતા. લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ મુલાકાતના ફોટા લતા મંગેશકરની સાથે-સાથે રામનાથ કોવિંદે પણ શેર કર્યા છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે, "લતા મંગેશકરજીને આજે તેમના નિવાસે મળીને પ્રસન્નતા થઈ. મેં તેમના સ્વસ્થ જીવન માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી."


રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું છે કે, "લતાજી ભારતનું ગૌરવ છે. તેમના હૃદયસ્પર્શી ગીતો આપણાં જીવનમાં મધુરતા રેલાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી અને સૌમ્યતા આપણને સૌને પ્રભાવિત કરે છે." 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....