નવી દિલ્હી/ ગુરૂગ્રામ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (19 નવેમ્બર) ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે. આ વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે એક્સપ્રેસ-વે માટે ખુબ-ખુબ અભિનંદન. આ પ્રોજેક્ટની સાથે જે પણ થયું તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. પીએમ મદીએ કહ્યું કે લોકો તે જ છે, કામ કરનાર લોકો પણ તે જ છે, પરંતુ જ્યારે ઇચ્છાશક્તિ હોય, સંકલ્પશક્તિ હોય, તો કોઇપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આ કારણ છે કે જ્યાં વર્ષ 2014 પહેલા દેશમાં એક દિવસમાં માત્ર 12 કિલોમીટર હાઇવે બનતો હતો, આજે લગભગ 27 કિલોમીટર હાઇવે પ્રતિદિવસ નિર્માણ થઇ રહ્યો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...