લખનઉ: કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશ પાર્ટીના પ્રભારી પ્રિયંકા ગાંધી તેમના ભાઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે 11 ફેબ્રુઆરીએ ચાર દિવસના પ્રવાસ પર લખનઉ આવશે. કોંગ્રેસના સત્તાવાર સુત્રોએ ગુરૂવારે જણાવ્યું હતું કે રાહુલ અને પ્રિયંકા 11 ફેબ્રુઆરીએ લખનઉ આવશે. તેમની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. તેમના યૂપી પ્રવાસની શરૂઆત લખનઉના અમૌસી એરપોર્ટથી કોંર્ગ્રેસ ઓફિસ સુધીના રોડ શોથી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે


તેમણે જણાવ્યું કે, પ્રિયંકા 11થી 14 ફેબ્રુઆરી સુધી લખનઉમાં રહેશે. તેઓ પ્રદેશની દરેક 80 લોકસભા બેઠક પર સંગઠનની સ્થિતિની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા 23 જાન્યુઆરીએ પાર્ટીના મહાસચિવ બન્યા બાદ પહેલી વખત ઉત્તર પ્રદેશના પ્રવાસ પર આવી રહ્યાં છે. તેમના સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તપ પ્રદેશના પ્રભાર સોંપવામાં આવ્યો છે. તેઓ પણ નવો પદભાર સંભાળ્યા બાદ પહેલી વખત પ્રદેશ પહોંચી રહ્યાં છે.


વધુમાં વાંચો: સરકાર આવતી જતી રહે છે મોદીના વફાદાર અધિકારીઓ પર અમારી નજર: કોંગ્રેસની ધમકી


કોંગ્રેસ મહાસચિવ તરીકે ઉત્તર પ્રદેશની તેમની પ્રથમ યાત્રાના એક દિવસ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે રાજ્યના લોકોની સાથે મળીને તેઓ ‘નવું રાજકારણ’ શરૂ કરવાની આશા કરે છે. જેમાં દરેકની ભાગીદારી હશે. પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશના અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી કોંગ્રેસ મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા બાદ સોમવારે રાજ્યમાં તેમની પહેલી યાત્રા હશે.


વધુમાં વાંચો: રાફેલ મુદ્દે હવે કોંગ્રેસે કેગ પર જ સવાલ ઉઠાવ્યા, જેટલીએ આરોપો ફગાવ્યા


ત્રણે નેતાઓ હાવઇ મથકથી પાર્ટીના રાજ્યની મુખ્ય ઓફિસ સુધી યાત્રા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓના રોડ શો કરવાની યોજના છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા આ યાત્રાથી રાજ્યમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો શંખનાદ તરીકે જોઇ રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...