નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પીએમ મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડવા તરફ રોબર્ટ વાડ્રાએ ઇશારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા વાડ્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે લોકો પરિવર્તન ઇચ્છે છે અને તે 23 મેના ચૂંટણી પરિણામ જાહેર થવા પર જાણવા મળશે. ‘ચોક્કસ પણે દેશમાં પરિવર્તનની તકો છે. તમે મે મહિનામાં જોશો, જ્યારે પરિણામ બહાર આવશે.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો...


વાડ્રાએ આ વાત ત્યારે કહી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે લોકો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વાટ આપશે. તેમણે કહ્યું, ‘પરિણામ અમારા પક્ષમાં હશે. દરેક લોકો પરિવર્તન ઇચ્છે છે. ભેલ પછી વૃદ્ધ હોય કે જવાન. તે પરિવર્તન માટે વોટ આપશે.’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...