નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નિવાસ સ્થાન 7 લોક કલ્યાણમાર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મહત્વની બેઠક થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ રહેલી આ બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, એનએસએ અજીત ડોવાલ, ગુપ્તચર વિભાગ (આઈબી)ના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ત્રણેય સેનાની પાંખના વડા પણ સામેલ હતાં.  બેઠકમાં સીઆરપીએફના ડીજીએ પુલવામા આતંકી હુમલા અંગે સીસીએસને જાણકારી આપી. બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા હુમલો: 'આ' આફિકી દેશનું કનેક્શન સામે આવ્યું, જૈશે 30 સેકન્ડનો VIDEO જોઈને કર્યો એટેક!


આજે વડાપ્રધાન મોદીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ભાજપે પણ તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આતંકી હુમલામાં અત્યાર સુધી 44 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. અનેક ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલો ગુરુવારે જમ્મુ શ્રીનગર હાઈવે પર પુલવામા જિલ્લાના અવંતિપોરામાં સીઆરપીએફના વાહનને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ દ્વારા કરાયો. કાફલો તે સમયે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. 


સ્થિતિની ગંભીરતાને જોતા હાલ અધિકારીઓએ કાશ્મીર ઘાટી અને જમ્મુમાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી છે. કાફલામાં 78 વાહનો સામેલ હતાં. જેમાં 2500 સુરક્ષાકર્મીઓ હતાં. આતંકીઓએ વિસ્તારમાં જવાનો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ તેમની કાર દ્વારા આઈઈડી બ્લાસ્ટ કર્યો. 


પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ? 


શહાદતનો બદલો લેવાશે-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે ગુરુવારે દેશના લોકોને એ ભરોસો અપાવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફની બસ પર પાકિસ્તાન પ્રાયોજિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલાનો બદલો લેવાશે. સિંહે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત અને ઉછરી રહેલા લોકો દ્વારા કરાયેલા આ આતંકવાદી હુમલાના માધ્યમથી જે લોકો શાંતિમાં વિધ્નો નાખવા માંગે છે તેમના  કાવતરાને કેન્દ્ર સરકાર નિષ્ફળ કરવા માટે દ્રઢ નિશ્ચયી છે. 


તેમણે કહ્યું કે જૈશ એ મોહમ્મદે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. અમે રાષ્ટ્રને  ખાતરી આપીએ છીએ કે તેના બદલા માટે જે પણ કરવું પડે અમે તે કરીશું. સિંહે આ હુમલાબાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી અને સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ રાજ્યની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...