ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ તેમના પર ભરોસો મૂકવા બદલ કોંગ્રેસ હાઈકમાનનો આભાર વ્યક્ત કર્યો છે. સિદ્ધુએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની સાથે તેમના પિતાનો એક ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર લખ્યું કે મારા પિતા પણ એક કોંગ્રેસી હતા. હં પંજાબમાં કોંગ્રેસના અજેય કિલ્લાને વધુ મજબૂત કરવા માટે દરેક કાર્યકરની સાથે કામ કરીશ. 


મારા પિતા આઝાદીની જંગમાં સામેલ હતા-સિદ્ધુ
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું કે 'સમૃદ્ધિ, વિશેષાધિકાર અને સ્વતંત્રતાને માત્ર થોડા સાથે નહીં પરંતુ બધા સાથે શેર કરનારા મારા પિતા એક કોંગ્રેસ કાર્યકર શાહી પરિવારને છોડીને આઝાદીની લડતમાં સામેલ થયા હતા. દેશભક્તિ માટે તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ કિંગ્સ એમનેસ્ટીથી રાહત મળ્યા બાદ તેઓ ડીસીસીના અધ્યક્ષ, વિધાયક, એમએલસી અને એડવોકેટ જનરલ બન્યા.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube