નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની એક પણ તક ગુમાવતા નથી. હવે તેમણે યુવાઓમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. યુવા કોંગ્રેસ સ્થાપના દિવસના અવસર પર 9 ઓગસ્ટે રાહુલ ગાંધીએ બેરોજગારીનો સવાલ ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર જારી કરાયેલા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યુ, 'જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા હતા તો તેમણે દેશના યુવાનોને વચન આપ્યું હતું કે 2 કરોડ યુવાનોને રોજગારી આપશે. દર વર્ષે. ખુબ મોટું સપનું દેખાડ્યું. પરંતુ તે સત્ય છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ 14 કરોડ લોકોને બેરોજગાર બનાવી દીધા છે.'


મનોજ તિવારીએ લોચો માર્યો? MHAએ કહ્યું- અમિત શાહનો કોરોના ટેસ્ટ થયો જ નથી

આદિવાસી દિવસની શુભકામનાઓ
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'આદિવાસી સમુદાયોની જીવનશૈલીમાં પ્રકૃતિ પ્રત્યે આસ્થા, પ્રેમ અને સન્માન હોય છે, જેથી વિશ્વ સંરક્ષણ અને સાથે મળીને રહેવાનું શીખી શકે છે. આપણે મળીને એક સાંસ્કૃતિક વારસાને સાચવીને રાખવો પડશે. વિશ્વ આદિવાસી દિવસની શુભકામના.'


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube