Rahul Gandhi Himanta Biswa Sarma Fight: જે સમયે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી, રાહુલ ગાંધીને અસમમાં એક ધાર્મિક સ્થળ પર જતા રોકવામાં આવ્યા. અસમના નેતાઓ સાથે તેઓ ત્યાં ધરણા પર બેસી ગયા હતા. એવું કહેવાયું કે અયોધ્યા ભલે ન ગયા પરંતુ રાહુલ પ્રતિષ્ઠિત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ જશે તો અસમમાં મોટો મેસેજ જશે. ત્યારબાદ બંને જૂથ તરફથી એક બીજાને રાવણ કહેવામાં આવ્યા. રાહુલે હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી સુદ્ધા પણ ગણાવી દીધા. અસમમાં ભારત જોડો ન્યાય યાત્રાને પોલીસે બેરિકેડ લગાવીને રોકી તો  હાથાપાઈ અને મારપીટની સ્થિતિ પેદા થઈ ગઈ. ખુબ બબાલ મચી. રાત થતા સુધીમાં તો હિમંતાએ ટ્વીટ કરીને જણાવી દીધુ કે કોંગ્રેસ નેતાઓના હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓ પર હુમલા મુદ્દે રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ, કન્હૈયાકુમાર વગેરે પર કેસ કરવામાં આવ્યો છે. 


આ અગાઉ સરમાએ અસમના ડીજીપીને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. પહેલીવાર રાહુલની યાત્રામાં આ પ્રકારની રોકટોક અને બબાલ મચી છે. અસમના સીએમ હિમંતા બિસ્વા સરમા એ જ વ્યક્તિ છે જે એક સમયે પાક્કા કોંગ્રેસી હતા. તેઓ સીએમ બનવા માંગતા હતા. તેમને કેટલાક વિધાયકોનું સમર્થન હતું પરંતુ છેલ્લી ઘડીએ વાત વણસી. કારણ ઘણું બધુ સ્પષ્ટ કરી દેશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube