સીકર: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર દિન પ્રતિ દિન ભયાનક બની રહી છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. પરંતુ આમ છતાં એક ગામ એવું છે જ્યાં કોરોના ઘૂસી શક્યો નથી. આજ સુધી આ ગામમાં કોરોનાથી કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કોરોનાને હરાવી રહ્યા છે લોકો
રાજસ્થાન (Rajasthan) ના સીકર જિલ્લાના આ ગામથી આપણે ઘણું શીખી શકીએ તેમ છે. આ ગામનું નામ છે સુખપુરા. ગામની વસ્તી 3 હજાર જેટલી છે. પરંતુ આ ગામમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયો નથી. જેનું કારણ છે ગામના લોકોનું અનુશાસન અને સાવધાની. ગત વર્ષે જ્યારે આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે આ ગામના લોકોએ તમામ રસ્તા પર એન્ટ્રી ગેટ બનાવી દીધા હતા અને બહારથી આવનારા લોકોની તપાસ શરૂ કરી હતી. 


જરાય હળવાશમાં નથી લીધી મહામારીને
આ કામમાં પ્રશાસને પણ તેમની મદદ કરી. પરંતુ અહીં જે સમજવા જેવી વાત છે તે એ છે કે આ લોકોએ ક્યારેય આ મહામારીને જરાય હળવાશમાં લીધી નથી. કારણ કે જો  આ લોકો ગંભીરતા ન દર્શાવત તો પ્રશાસનની મદદનો પણ કોઈ ફાયદો થયો ન હોત. 


ગત એક વર્ષથી આ ગામના લોકો કોરોના વાયરસને લઈને ખુબ સાવધાની વર્તી રહ્યા છે. જેનું પરિણામ છે કે અહીં કોરોનાનું નામોનિશાન સુદ્ધા નથી. તમે કહી શકો કે આ ગામના લોકોએ લક્ષ્મણ રેખા ખેંચેલી છે જેનું પાલન 3 હજાર લોકો કરે છે. 


જુઓ VIDEO


Covid-19 Vaccine Price: જો કોરોનાની રસી Free માં ન મળી તો પ્રાઈવેટ માર્કેટમાં જાણો કેટલી હશે એક ડોઝની કિંમત  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube