નવી દિલ્હી: LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે રૂસ રવાના થયા છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારી પર ચર્ચા થવાની સંભાવના છે. રક્ષામંત્રી મોસ્કોમાં આયોજિત વિજય દિવસ પરેડ (Victory Day Parade)માં ભાગ લેશે. આ પરેડ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયતની જીતની 75મી વર્ષગાંઠના અવસરે યોજાઇ રહી છે. આ પરેડ પહેલાં 9 મેના રોજ આયોજિત થવાની હતી. પરંતુ કોરોનાના કારણે તેને ટાળી દેવામાં આવી હતી. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube