નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શુક્રવારે કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયુ છે. તે દેશના કોઈ પણ અન્ય રાજ્યની જેમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં છે. લદાખીઓ ખુબ ખુશ છે. તેઓ ખુબ આનંદિત છે. કારણ કે આ તેમની લાંબા સમયથી પેન્ડિંગ માગણી હતી. ભાજપના નેતાએ સ્વીકાર્યું કે કાશ્મીર ખીણમાં કેટલીક સમસ્યા છે. તેમનું ધ્યાન રખાશે. તેને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે પતાવવામાં આવશે. 


મુંબઈ મેટ્રો: આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, 60 લોકોની અટકાયત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પણ જીવ ગયો નથી
રામ માધવે કહ્યું કે છેલ્લા બે મહિનામાં સુરક્ષા દળોના કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. કલમ 370 હટાવવાના નિર્ણયની પ્રભાવશીલતા અંગે કાશ્મીરના લોકોને જલદી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલેથી જ કાશ્મીરના લોકોના એક મોટા ભાગે તેને બિરદાવવાનું શરૂ કરી દીધુ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...