નવી દિલ્હી: દેશ આજે 71મો ગણતંત્ર દિવસ (Republic Day 2020) ઉજવી રહ્યો છે. આજે રાજપથ પર થાનર ગણતંત્ર દિવસ સમારોહ માટે સમગ્ર દિલ્હીમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચશે અને શહીદોને નમન કરશે. ત્યારબાદ રાજપથ પર સત્તાવાર રીતે ગણતંત્ર દિવસ સમારોહનો શુભારંભ થશે. આજે થનાર સમારોહ માટે બ્રાજીલના રાષ્ટ્રીય જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આજે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશની સુરક્ષામાં તૈનાત વિભિન્ન સુરક્ષાબળોની પરેડને સલામી આપશે. ત્યારબાદ દેશના વિભિન્ના રાજ્યો અને મંત્રાલયોની ઝાંખી રજૂ કરવામાં આવશે.  


આ અવસર પર વિભિન્ન સ્કૂલોના વિદ્યાર્થી અને બહાદુર પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાળકો પણ ઝાંખીનો ભાગ હશે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube