નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ ત્યાં ઈન્ડિયા-ચાઈના લેવલ મિકેનિઝમ (એચએલએમ)ની બીજી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રી બન્યા બાદ એસ જયશંકરનો આ પહેલો ચીન પ્રવાસ છે. ચીનમાં વિદેશ મંત્રી પોતાના સમકક્ષ વાંગ યી સાથે બેઠક કરશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી બીજી અનૌપચારિક મુલાકાતને લઈને તૈયારીઓ પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...