નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. જેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પાયલટને મનાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ ન માન્યાં. આખરે ત્યારબાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે નિર્ણય લીધો. સુરજેવાલાએ આ જાહેરાત કરતી વખતે પાયલટ પ્રત્યે ખુબ નારાજગી વ્યક્ત કરી અને જતાવી દીધુ કે પાર્ટીએ પાયલટને મનાવવામાં કોઈ કસર બાકી રાખી નહતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube