Second Marriage in India: હિન્દુ મેરેજ એક્ટમાં જબરદસ્ત નિયમો છે. હિન્દુઓ એકવાર લગ્ન કરી લે તો એ જનમો જનમના સાથી ગણાય છે. તમે એકવાર લગ્ન કરી લો અને પત્ની જતી રહે તો પણ બીજા લગ્ન કરવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. એ માં યે જો તમે સરકારી નોકરિયાત હો તો તમે બીજા લગ્ન કરો તો પણ બીજી પત્ની પેન્શનની હકદાર રહેતી નથી. જો સંતાન પાછળ નામ હોય તો ફક્ત સ્વપાર્જિત મિલકતમાં દાવો કરી શકે છે. નાગપુરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સેનાના એક જવાને તેની પહેલી પત્ની પાસે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા હતા. હવે પેન્શનને લઈને વિવાદ છે. ચાલો જાણીએ કાયદો શું કહે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો પત્ની ઘર છોડે તો પતિએ બીજા લગ્ન માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે, જાણો શું છે કાયદો
US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો


બીજી પત્નીને શું અધિકાર છે?
જ્યારે આ અંગે એડવોકેટ જણાવે છે કે, હિંદુ મેરેજ એક્ટ 1955ના કાયદા અનુસાર પહેલી પત્ની હયાત હોય ત્યારે બીજા લગ્ન માન્ય ગણાતા નથી. અથવા બીજી પત્નીને પતિના પેન્શનનો દાવો કરવાનો અધિકાર નથી. જો બીજા લગ્નથી બાળક હોય અને તેના દસ્તાવેજોમાં તેના પિતાનું નામ  લખેલું હોય, તો તે પોતાની સ્વ-અધિગ્રહિત મિલકતમાં અધિકારની માંગ કરી શકે છે, પરંતુ બીજી પત્નીને તેના પેન્શનમાં કોઈ અધિકાર રહેશે નહીં.


US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો
નવા અવતારમાં આવી રહી છે ભારતની મોટ ફેવરિટ કાર, ઓછી કિંમતમાં મળશે મોંઘી ગાડીની મજા


ભારતમાં પતિ-પત્નીના સંબંધોને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એકવાર બંને એકબીજાનો હાથ પકડી લે છે, તેઓ 7 જન્મો સુધી સાથે રહેવાનું વચન આપે છે. મહારાષ્ટ્રના નાગપુરથી સંબંધિત એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભારતીય સેનાના એક જવાનના મૃત્યુ બાદ તેના પેન્શનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સૈનિકની શહાદત બાદ તેની બીજી પત્નીએ પેન્શન માટે અરજી કરી તો જાણવા મળ્યું કે પેન્શન પહેલી પત્નીના ખાતામાં જતું હતું. જ્યારે તેના પતિએ તેની પ્રથમ પત્નીના ગુમ થયા બાદ જ તેની બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. શું તેને કાયદેસર ગણી શકાય? ચાલો જાણીએ આવી સ્થિતિમાં ભારતીય કાયદો શું કહે છે?


ઈન્હેલરનો કરો છુટ્ટો ઘા, આ 3 એક્યુપ્રેશર પોઈન્ટ ખોલી દેશે તમારા બંધ નાકના દ્વાર
સૌથી સસ્તું પેકેજ : દિવાળી બાદ 4 દિવસ ગોવા ફરી આવો, પત્ની થઈ જશે ખુશ ખુશ


કાયદો શું કહે છે?
ભારતીય કાયદો વ્યક્તિને બે વાર લગ્ન કરવાની મંજૂરી આપતો નથી. જો કોઈ વ્યક્તિ છૂટાછેડા લીધા વિના બીજી વખત લગ્ન કરે છે, તો તેને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 494 હેઠળ ગુનો ગણવામાં આવે છે. વિવાહિત વ્યક્તિને છૂટાછેડા વિના ફરીથી લગ્ન કરવાની મંજૂરી નથી જ્યારે જીવનસાથી જીવિત હોય. જો તે તેને ખાલી છોડી દે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ તેને છૂટાછેડા ન આપે તો કાયદેસર રીતે તે તેની પત્ની છે અને પત્ની તરીકે તેને સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો અધિકાર છે. આ માત્ર એક શરતમાં થતું નથી. જો તેમાંથી કોઈ એક ગુમ થઈ જાય અને 7 વર્ષ સુધી ન મળે, તો બીજી વ્યક્તિ તે પછી લગ્ન કરી શકે છે.


Heart નું સ્વાસ્થ્ય બગડતાં બોડીમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરવું પડી શકે છે ભારે
Marcus Stoinis: 'રસોઈયા' ને સાથે લઇને વર્લ્ડ કપ 2023 રમી રહ્યો છે આ ખેલાડી, નામ સાંભળીને ચોંકી જશે ફેન્સ

આ યુવકના કિસ્સામાં તેની પ્રથમ પત્ની ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે બીજી વખત લગ્ન કર્યા હતા, પરંતુ કેટલા દિવસ બાદ તેણે બીજી વખત લગ્ન કર્યા હતા? તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. તેણે પોતાના દસ્તાવેજોમાં તેની બીજી પત્નીનું નામ પણ અપડેટ કર્યું ન હતું. જેને પગલે એ તમામ લાભો પતિને છોડીને જનાર પ્રથમ પત્નીને જ મળશે. જે છેલ્લા સુધી એના પતિની સાથે રહી એ પત્ની કોઈ લાભ મેળવી શકશે નહીં.


શિયાળામાં ગજબના ફાયદા આપશે આ જ્યૂસ! એકસાથે ઘણી બિમારીઓ થશે દૂર
Insta એડ પર એક ક્લિક અને ગુમાવ્યા 1.90 લાખ રૂ., શું તમે તો આ નથી કરી રહ્યાં ને ભૂલ?