નવી દિલ્હીઃ ભાજપ છોડીને 2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા વરિષ્ઠ અભિનેતા શત્રુધ્ન સિન્હાએ વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણની પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે, શત્રુધ્ન સિન્હા પીએમ મોદીના સૌથી મોટા ટીકાકારોમાંના એક ગણાય છે. શત્રુધ્ન સિન્હાએ ટ્વીટ કરીને પીએમ મોદીના ભાષણની પ્રશંસા કરવાની સાથે જ એક સલાહ પણ આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શત્રુધ્ન સિન્હાએ ટ્વીટમાં લખ્યું છે કે, "હું મારા નિવેદનો અંગે પ્રસિદ્ધ અને બદનામ છું, પરંતુ અહીં સ્વીકાર કરવા માગું છું કે, આદરણીય પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જે ભાષણ આપ્યું તે અત્યંત સાહસિક, શોધપૂર્ણ અને વિચારોત્તેજક હતું. તેમાં દેશની તમામ વર્તમાન સમસ્યાઓનો અત્યંત સુંદર રીતે ઉલ્લેખ કરાયો હતો."


લતા મંગેશકરને તેમના ઘરે મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વીટ કરીને જણાવી આ વાત 


આ સાથે જ શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે, પીએમ મોદીએ આ સમસ્યાઓના ઉકેલ માટે જે રોડમેપ બનાવ્યો છે તે ઘણો જ સારો છે. આ રોડમેપ પર મોડું થાય તે પહેલા જ કામ શરૂ કરી દેવું જોઈએ. તેમણે પાણીના સંકટને મોટો જણાવતા કહ્યું કે, થોડા વર્ષોમાં જ અનેક મુખ્ય શહેરમાં પાણીની તંગી સર્જાશે. દેશની વિશાળ વસતી છે, જેણે ઝડપથી જાગૃત થવાની જરૂર છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....