નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાને મોહમ્મદ અલી જિન્હાનું નામ લઈને કહ્યું હતું કે તેમણે દેશની આઝાદી અને વિકાસમાં યોગદાન આપ્યું. આ નિવેદન બાદ દેશના રાજકારણમાં જાણે ગરમાવો જ આવી ગયો. સત્તાપક્ષના નેતા સતત સિન્હા પર નિશાન સાધી રહ્યાં છે. ત્યારબાદ સિન્હાએ સ્પષ્ટીકરણ આપ્યું કે તેમણે ભૂલથી જિન્નાહનું નામ લીધુ છે. પરંતુ તેમને તેમના આ નિવેદન બદલ કોઈ અફસોસ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી જિન્નાહનું પણ યોગદાન: શત્રુઘ્ન સિન્હા


શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે કોંગ્રેસ અંગે હું લોકોને બતાવી રહ્યો હતો. કોંગ્રેસે દેશ માટે વિકાસનું કામ કર્યું છે અને નહેરુથી લઈને મહાત્મા ગાંધી કોંગ્રેસમાં હતાં. તેમણે કહ્યું કે જિન્નાહનું નામ  લેવા માંગતો નહતો પરંતુ હું મૌલાના આઝાદનું નામ લેવા માંગતો હતો. પરંતુ સ્લીપ ઓફ ટંગ (જીપ લપસી ગઈ)ના કારણે જિન્નાહનું નામ લેવાઈ ગયું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...