નવી દિલ્હી: જેએનયૂમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદ  ( Abdul rashid)એ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી જોરદાર પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક તેના સંબંધ આતંકવાદીઓ સાથે હોઇ શકે છે. શહલાના પિતાના પુત્રીની કરતૂતોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે કરાવવાની સાથે તેના પર કાર્યવાહીની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાનથી મારી નાખવાની મળી ધમકી: અબ્દુલ રશીદ
શહલાના પિતાએ પણ કહ્યું કે જે લોકો આજે ટેરર ફંડિંગમાં એનઆઇએની પકડમાં છે ભલે તે પોલીટિશિયન્સ છે કે બિઝનેસમેન છે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આતંકવાદી ગતિવિધિઓમાં સાથ જરૂર જોવા મળી રહ્યો છે તેમને આવું કેમ કર્યું તેમની સમજની બહાર છે. તેમણે એ પણ કહ્યું કે હું તેને ઘણીવાર સમજાવી કે આ બધી વસ્તુઓથી દૂર રહે પરંતુ હવે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે એ પણ કહ્યું કે મને પૈસાની ઓફર કરવામાં આવી રહી છે.  


પિતાના આરોપ પર શહલાએ આપી સ્પષ્ટતા
પિતાએ મીડિયામાં સામે આવ્યા બાદ શહલા રશીદ (Shehla Rashid)એ ટ્વિટર પર સ્પષ્ટતા આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube