ભોપાલઃ મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ફ્લોર ટેસ્ટ પર જારી સસ્પેન્સ હવે પૂરુ થઈ ગયું છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે કમલનાથ સરકારને કાલે સાંજે 5 કલાક સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ ભાજપે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશાધ્ય7 વીડી શર્માએ પત્રકાર પરિષદ યોજી કાલે થનારા ફ્લોર ટેસ્ટમાં જીતનો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ન્યાયની જીત થઈ છે, અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે જનતાની દુવા અમારી સાથે છે. ફ્લોર ટેસ્ટમાં આ સરકાર પરાજીત થશે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. તેમણે વિધાનસભામાં કોંગ્રેસના બળવાખોરની હાજરી પર કહ્યું કે, ધારાસભ્યો કોર્ટનો આદેશ માનશે. ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવી કે નહીં, તે ધારાસભ્યો નક્કી કરશે.


કમલનાથ સરકાર રહેશે કે જશે? કાલે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ  

કમલનાથ સરકારનો થશે અંત
તો ભાજપના પ્રદેશાધ્યક્ષ વીડી શર્માએ પણ કમલનાથ સરકાર પર પ્રહારો કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ એમપીના ગરીબોની જીત છે, કોર્ટે ભાજપના કાર્યકર્તાઓનું સાંભળ્યું છે. શિવરાજ સિંહે ગરીબોનો હક આપવાનું કામ કર્યું છે. પરંતુ દિગ્વિજય અને કમલનાથે પ્રદેશની સાથે છલ કર્યું છે. પરંતુ કાલે ફ્લોર ટેસ્ટ બાદ કમલનાથ સરકારનો અંત થશે અને નવી સરકાર બનશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...