નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોના વાઈરસના પગલે દેશના અનેક રાજ્યોમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના સંક્રમણથી દેશમાં બીજું મોત, આ રાજ્યનો પહેલો મામલો


પંજાબમાં સુરક્ષા કારણોસર તમામ સરકારી અને  ખાનગી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. ફક્ત એ જ શાળાઓ ખુલ્લી રહેશે જ્યાં પરીક્ષાઓ ચાલુ છે. રાજ્યના શિક્ષણમંત્રી વિજય ઈન્દર સિંગલાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. મંત્રી સિંગલાએ રાજ્યમાં મહામારી ફેલાવવાની સ્થિતિમાં લોકોને સાવધાની વર્તવાની અને સતર્ક રહેવાની સલાહ આપી છે. 


મધ્ય પ્રદેશમાં શાળાઓ અને કોલેજોમાં આગામી આદેશ સુધી રજાઓ જાહેર કરાઈ છે. જ્યારે થિયેટરો 31 માર્ચ સુધી બંધ કરાયા છે. ઉચ્ચ શિક્ષમ વિભાગના પ્રમુખ સચિવ નીરજ મંડલોઈના જણાવ્યાં મુજબ તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આગામી આદેશ સુધી રજાઓ રહેશે. સામૂહિક કાર્યક્રમો સ્થગિત રહેશે પરંતુ વાર્ષિક પરીક્ષાઓ અને સેમિસ્ટર પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube